સદા મહેક દીઠી
સુવાસિત હ્રદય માં,
તમે છો, થયું એમ
સાબિત હ્રદય માં.
-ગની દહીંવાલા.
જી ,હા..
હૃદય ને મહેકતું રાખી,સુવાસિત બનાવવા અને આપ્તજન ને હંમેશ માટે હ્રદય માં સ્થાપિત કરી રાખવા માટે હ્રદય ને મજબૂત અને સલામત રાખવું બહુ જરૂરી છે.
મિત્રો, આજે ૨૯ સપ્ટેમ્બર.
” વિશ્વ હૃદય દિવસ”.
જીવમાત્ર નાં શરીરમાં હૃદય એક મહત્વપૂર્ણ અંગ છે.તેને આજીવન સંભાળ ની જરૂર પડે છે.દિલ ની સંભાળ દિલ થી રાખવી જોઇએ.
એક જાદુઈ લાકડી મેળવવાની કલ્પના કરીએ, જે એક તરંગ પર તમામ રોગોને નાબૂદ કરે છે. ઠીક છે, આ ડિજિટલ યુગમાં જાદુઈ લાકડીની ઈચ્છા કરવાથી કદાચ તમને કંઈ ન મળે પરંતુ એ જ ડિજિટલ વિશ્વ તમને એવા તમામ જોખમી પરિબળોથી વાકેફ રહેવા માટે જ્ઞાન સાથે સશક્ત કરી શકે છે કે જેના પર સ્વસ્થ જીવન તરફના અવરોધોને દૂર કરવા માટે કામ કરી શકાય છે. વિશ્વ, ખાસ કરીને ભારત, જે એક મુખ્ય રોગનો સામનો કરી રહ્યું છે તે હૃદય રોગ છે .જેને કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ (CVD) તરીકે પણ ઓળખવામાં આવે છે. CVD એ વિકૃતિઓની શ્રેણી છે જે હૃદય અને રક્તવાહિનીઓને અસર કરે છે. એવું જાણવા મળ્યું છે કે ભારત વિશ્વભરમાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગ (CVD) નો સૌથી વધુ બોજ ધરાવે છે. InterHeart દ્વારા કરવામાં આવેલા અભ્યાસ મુજબ, CVD જોખમી પરિબળો જેમ કે પેટની સ્થૂળતા, હાયપરટેન્શન અને ડાયાબિટીસ ભારતીયોમાં, નાની ઉંમરે પણ, અન્ય વંશીય જૂથો કરતાં વધુ છે. આ મેટાબોલિક ડિરેગ્યુલેશન અને કાર્ડિયોમાયોપથી માટે અંતર્ગત આનુવંશિક વલણ તેમજ અતિશય લાલ માંસ, સંતૃપ્ત ચરબી, ટ્રાન્સ ચરબી, સોડિયમ, શર્કરા, આલ્કોહોલ, તમાકુ, ઓછા ફાઇબર આહાર અને શારીરિક અભાવ ધરાવતા બિનઆરોગ્યપ્રદ ખોરાકની પસંદગીઓ તરફના ભોગવિલાસને કારણે હોઈ શકે છે.
CVD માટે જવાબદાર અને બદલી ન શકાય તેવા જોખમી પરિબળો છે. જ્યારે આનુવંશિક વલણ, લિંગ, વંશીયતા અથવા ઉંમર જેવા બિન-સુધારી શકાય તેવા પરિબળો પર કોઈનું નિયંત્રણ નથી, પરંતુ ખોરાક, કસરત, તણાવ વ્યવસ્થાપન અને ધૂમ્રપાન અને દારૂના સેવનથી દૂર રહેવા જેવા સુધારી શકાય તેવા જોખમી પરિબળોમાં ફેરફાર કરવા માટે ઘણો
અવકાશ છે. એવો દાવો કરવા માટે વૈજ્ઞાનિક પુરાવા છે કે પોષણ CVD મૃત્યુનું શ્રેષ્ઠ નિવારક પરિબળ હોઈ શકે છે.
જેમ કે-
ભોજનમાં શાકભાજી, ધાન્ય, નટ્સ અને દાણાનો દરરોજ સમાવેશ કરીએ. મીઠા, ચરબીયુક્ત ભોજન અને રેડી મેરીડ ફૂડ પેકેટ્સ નાં નાસ્તા લેવાનું ટાળવું. સેચ્યુરેટેડ અને ટ્રાન્સ ફેટને બદલે તંદુરસ્ત અનસેચ્યુરેટેડ ફેટ પસંદ કરીએ. ફેટી અને પ્રોસેસ્ડ માંસ, ફૂલ ક્રીમ, દૂધની બનાવટો, માખણ, બે પ્રકારના વેજીટેબલ તેલ (નાળિયેર અને પામ) મોટા ભાગના ટેકઅવે તળેલા પદાર્થો અને વ્યાપારી ઢબે બનાવવામાં આવતા બિસ્કીટ, કેક્સ અને પેસ્ટ્રીનો ઉપયોગ ટાળવો જોઈએ. રસોઇ માટે વનસ્પતિ આધારીત તેલ જેવા કે કેનોલા, સૂર્યમુખી, સોયાબીન, ઓલીવ ઓઇલ કે સીંગતેલનો ઉપયોગ કરવો.
વજનને કંટ્રોલમાં રાખવું.
વધુ પડતું વજન અનેક બીમારીઓ નોતરે છે. દરેક વ્યક્તિનું ઉંમર અને ઊંચાઈ પ્રમાણે વજન હોવું જોઈએ. યોગ્ય વજન માટે ભોજન પર નિયંત્રણ અને નિયમિત શારિરીક પ્રવૃતિ કરવી જરૂરી છે.
માનસિક અને સામાજીક સ્વાસ્થ્ય જાળવી રાખવું.
જે ડિપ્રેશનથી પીડાતા હોય અને જે સામાજીક રીતે અતડા હોય તેમને કોરોનરી હાર્ટ ડિસીઝ થવાનું જાેખમ છે. જો ડિપ્રેશનમાં હોય તેવું લાગે તો હેલ્થ પ્રોફેશનલ સાથે ચર્ચા કરી તેની સારવાર લેવી જોઈએ. તેમજ સગા સંબંધી ઓ, મિત્ર વર્ગ સાથે હળમળી ને સમસ્યાનો ભાર હળવો કરવો જોઈએ.
શારિરીક રીતે સક્રિય રહેવું.
દરરોજ 30 મીનીટ કે તેથી વધુ શારીરીક પ્રવૃતિઓ ,જેમ કે ઝડપથી ચાલવું કે કસરત કરવી જોઈએ. જેનાંથી હૃદય સ્વસ્થ રહે છે.
હૃદય ને મહેકતું અને ધબકતું રાખવા માટે સકારાત્મક વિચારો બહુ જરૂરી છે.મનગમતી પ્રવ્રુત્તિઓ,જેમ કે કલા, ગીત,સંગીત, ચિત્ર, નૃત્ય,કૂકીંગ, હસ્તકલા, યાત્રા- પ્રવાસ, રેડિયો, ટીવી,સમાજ સેવા, ગરીબ,આનાથી નિરાધાર લોકો અને, વૃઘ્ધો ની સેવા, પરોપકાર વૃત્તિ વિગેરે માં પ્રવૃત્ત રહેવું.
નિરાશા, હતાશા, ઉદાસીનતા, ગુસ્સો, નફરત,
વેરઝેર ભૂલીને સદા સર્વદા પ્રસન્ન રહેવું એ શ્રેષ્ઠ ઇલાજ છે.
સહુ ને હૃદય દિવસે હૃદય થી સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ.
ડૉ.દક્ષા જોશી.
અમદાવાદ
ગુજરાત.