સોખડા મંદિરના બે સ્વામી વચ્ચેના વિવાદ મામલે હાઈકોર્ટમાં સ્વામીઓના વકીલ વચ્ચે મુદત લેવા બાબતે બોલાચાલી થઈ હતી. અેમાં પ્રબોધ સ્વામીએ એવી રજૂઆત કરી હતી કે, સાધુઓ રસ્તા પર આવી જશે. જયારે વચગાળાની વ્યવસ્થા એવી છે કે, બંધકોને નક્કી કરેલી જગ્યા પર રાખવા, પરંતુ સાધુઓ પાસે કાયમી કોઈ વ્યવસ્થા નથી.
સિનિયર કાઉન્સિલને દલીલ કરવા માટે મુદત જોઈએ છે. આખા ટ્રસ્ટની 59 મિલકત છે તથા પ્રેમસ્વરૂપ સ્વામીને માત્ર આ એક જ મિલકતમાં સમસ્યા છે. આ બાબતે વધુ સુનાવણી 11 જુલાઈએ હાથ ધરવામાં આવશે. સોખડા મંદિરના સાધુઓને બંધક બનાવવા તથા મિલકતના ટ્રસ્ટી બનવા અંગેના વિવાદમાં થયેલી હેબિયસ કોર્પસની સુનાવણી દરમિયાન પ્રબોધ સ્વામી તરફથી એડવોકેટ દ્વારા મુદત માગવામાં આવી. અેનો પ્રેમસ્વરૂપ સ્વામી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.
