નવી શિક્ષણ નીતિ મુજબ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઇન્ડિયા (આઈસીએઆઈ) એ સીએના કોર્સમાં પ્રશ્નપત્રોની સંખ્યામાં ઘટાડો, આર્ટિકલશિપના સમયગાળામાં 1 વર્ષનો ઘટાડો નવા શૈક્ષણિક વર્ષથી લાગુ કરવા માટે સરકારને મોકલવાનો નિર્ણય કર્યો.
ખાનગી કંપનીમાં 2 વર્ષની આર્ટિકલશિપ તથા ખાનગી પ્રેક્ટિસ ઈચ્છનારા માટે વધારાની 1 વર્ષની પ્રેક્ટિકલ ટ્રેનિંગ સૂચવવામાં આવી છે. અત્યારે લોકોના સૂચનો મગાવાયા છે. કેન્દ્રની મંજૂરી પછી મે અથવા નવેમ્બરથી 2023 ફેરફારનો અમલ થઈ શકે છે. જો કેન્દ્રની મંજૂરી મળશે તો સીએ ફાઉન્ડેશન તથા ઈન્ટરમીડિએટ ક્લિયર કરનાર, પરંતુ ફાઈનલ કરનાર વિદ્યાર્થીને બીએએ (બિઝનેસ એકાઉન્ટિંગ એસોસિએટસ)નું પ્રમાણપત્ર અપાય તેવી શક્યતા છે.
