વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 18મી તારીખે ગુજરાત પ્રવાસે આવશે ત્યારે તેઓ 1.41 લાખ પરિવારોને ઘરનું ઘર મળે તે માટેનું લોકાર્પણ-ખાતમૂર્હૂત કરશે. રાજયભરમાં ગ્રામીણ ક્ષેત્રોમાં 1 લાખ આવાસોનું લોકાર્પણ તથા શહેરી ક્ષેત્રોમાં 41 હજાર આવાસોમાંથી 38,071નું લોકાર્પણ અને 2,999 ઘરનું ઘરોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. રાજ્યમાં ગ્રામીણ વિસ્તારોમાં 3.72 લાખ અને શહેરી વિસ્તારોમાં 6.24 લાખ આવાસોનું નિર્માણ કરાયું છે.
વડોદરા ખાતે રૂ. 21000 કરોડથી વધુના વિવિધ વિભાગના પ્રકલ્પોનું અનાવરણ, ખાતમુહુર્ત તથા ઈ-લોકાર્પણ કરશે. આ દરમિયાન રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ઘરનું ઘર મળી રહે તે માટે શરૂ કરવામાં આવેલી ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ બાબતે શહેરી અને ગ્રામીણ વિસ્તારના નાગરિકો માટે કુલ 1 લાખ 41 હજાર આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે.