2 વર્ષ પછી રથયાત્રા પરંપરા અનુસાર તેના નિર્ધારીત રૂટ પર ભક્તોની હાજરીમાં શહેરની પરિક્રમાએ નીકળવાની છે. આ વર્ષે રથયાત્રા કોઈપણ પ્રકારની હિંસક ઘટના કે જૂથ અથડામણ વગર શાંતિપૂર્ણ પસાર થાય તે માટે પોલીસે એકશન પ્લાનના ભાગરૂપે શહેરના તમામ પીઆઈથી માંડીને પોલીસ કમિશનર સુધીના અધિકારીઓ શનિવારે રાતે રથયાત્રાના રૂટ પર મેગા કોમ્બિંગ કરવામાં આવ્યું હતું.
1 જૂલાઈએ ભગવાન જગન્નાથની રથયાત્રા નિર્ધારીત રૂટ પર ભક્તોની હાજરીમાં શહેરની પરિક્રમાએ નીકળશે.બે વર્ષ પછી ભકતોની હાજરીમાં રથયાત્રા નીકળવાની હોવાથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે તેવી શક્યતા રહેલી છે, થોડા સમય પહેલાં જ રામનવમીએ નીકળેલી શોભાયાત્રા દરમિયાન હિંમતનગર તથા ખંભાતમાં શોભાયાત્રા પર હુમલો તેમજ જૂથ અથડામણ થઇ હતી.
