વીડિયો સર્વે માટે નિયુક્ત એડવોકેટ કમિશનરને સર્વેની માહિતી મીડિયાને ‘લીક’ કરવા બદલ દૂર કરવામાં આવ્યા છે. તે દરમિયાન વારાણસી કોર્ટે મંગળવારે જ્ઞાનવાપી મસ્જિદ સર્વે રિપોર્ટ સબમિટ કરવા માટે બે દિવસનો સમય આપવા સંમત થયા હતા. સોમવારે, એક વકીલે પરિસરના સર્વેક્ષણ દરમિયાન કાશી વિશ્વનાથ-જ્ઞાનવાપી સંકુલના તળાવમાં ‘શિવલિંગ’ મળી આવવાનો દાવો કર્યા પછી કોર્ટે મસ્જિદના વિસ્તારને સીલ કરવાનો આદેશ આપ્યો હતો.
