Fri. Dec 5th, 2025
    Views 802

    ભારતીયસંસ્કૃતિનું માધ્યમ રામાયણ ગ્રંથ છે. રામ , સીતા , લક્ષમણ , હનુમાનજી આ બધા રામાયણ ગ્રંથના એવા પાત્રો છે જેના ઉદ્દેશ્ય એ આપને સ્વને “જીવન જીવવાની કલા” શીખવાડી જાય છે ભારતીય લોકો માટે શ્રીરામ એ માત્ર શ્રધ્ધા નો વિષય નથી પણ જીવન ની એક અવસ્થા અને આદર્શ જીવન નું એક પ્રતીક છે .

    પુરષોતમ રામ આપણા રોમમાં રોમ માં વસ્યા છે, રામ એ આપણી રાજનીતિ ના “પ્રાણ” છે માત્ર ભારતમાં નહી પણ બીજા દેશ માં પણ મર્યાદાપુરષોતમ રામની પૂજા થાય છે . લોકસંસ્કૃતિ, લોક કાલા, ઇતિહાસ અને કહેવતો પર ઘણા સંશોધન થઇ ચુક્યા છે. શ્રી રામની જન્મભૂમિ એટલે કે અયોધ્યા છે ,શ્રી રામ એ મર્યાદાપુરષોતમ છે. શ્રી રામ 14 વર્ષના વનવાસ પછી તેમને રામ રાજ્યની સ્થાપના કરી એજ ઇતિહાસ જાણે ફરી દોરાઇરહ્યો હય એવું લાગી રહ્યું છે
    14 વરસ બાદ રામ મંદિર બનવાનો નિર્ણય થયો અંતે લોકલાગણી લોકમાંગણી જીતીગઈ અનેક વાટાઘાટો- સંગર્ષ અને લડત બાદ આજે રામજન્મભૂમિનું સુંદર નિર્માણ શક્ય બન્યું વર્તમાન સરકાર તેમજ આપણી પ્રજા કહી શકે કે “ધીરજના ફળ મીઠા” અંતે ધર્મની જીત થઇ રામ મંદિરની શિખર 161 ફૂટ ઉંચુ છે અને ગર્ભગૃહ ના શિખર ની ઠીક પાછળ સીતા રસોઈ માં રોજ પ્રસાદ બનશે અને ભક્તો ની ભીડ જામશે અંતે કમાવું દીકરાની જેમ અવાક મળશે અને રામ મંદિર વર્તમાન સરકારને ફળશે બોલો શ્રી રામ,લક્ષમણ, જાનકી,જાય બોલો હનુમાન કી.

    ડૉ. નેહા રાવલ

    Happy
    Happy
    73 %
    Sad
    Sad
    0 %
    Excited
    Excited
    27 %
    Sleepy
    Sleepy
    0 %
    Angry
    Angry
    0 %
    Surprise
    Surprise
    0 %

    Avatar
    3 thoughts on “રામનવમીની શુભકામનાઓ”
    1. આપના તરફથી ચાલુ કરવામાં આવેલી નવી ચેનલ સમાજના અગત્યના પ્રશ્નો તથા સામાજિક અને સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરશે તેવી અમને પૂરી શ્રદ્ધા છે
      આપની આ નવી ચેનલ ખુબ જ પ્રસિદ્ધિ પામે અને પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવું છું

    Leave a Reply to પ્રિ. ડૉ. જયવંતસિંહ સરવૈયા Cancel reply

    Your email address will not be published. Required fields are marked *