અમદાવાદથી ટ્રાવેલ્સની બસમાં બિલ તથા જરૂરી કાગળ વિના શનિવારે 8 કરોડની 1222 કિલો ચાંદી રાજસ્થાનના બલીચા બાયપાસ પાસે પકડવામાં આવી. આ ચાંદી મગાવનાર માલિકનો કોઈ પત્તો લાગ્યો નથી. ધરપકડ કરાયેલા બસ ડ્રાઈવરે હજુ સુધી જણાવ્યું નથી કે આ માલ કોનો છે. ગોવર્ધન વિલાસના પોલીસ ઇન્સ્પેક્ટર ચૈલ સિંહે જણાવ્યું કે પોલીસે અમદાવાદના રહેવાસી ઘેમરભાઈની ધરપકડ કરી પૂછપરછ ચાલુ કરી છે.
અેણે એટલું જ જણાવ્યું છે કે, આ માલ ટ્રાવેલ્સની ઓફિસથી લોડ કરવામાં આવ્યો હતો તથા ઉદયપુર, નાથદ્વારા, જયપુર, આગ્રા સુધી ડિલિવરી થવાની હતી. તેને અે પણ ખબર નથી કે આ પાર્સલ કોણે મુકાવ્યા હતા. આ કેસમાં મૂળ માલિક અને તેના સાગરીતો સુધી પહોંચવા માટે પોલીસે ટીમ બનાવી છે. એક ટીમ અમદાવાદ મોકલી તપાસ કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.150 પાર્સલમાં ચાંદીની પાટો, ઘરેણાં હતાં
