ગુજરાત રાજ્યના 50% જળાશયમાં 25%થી ઓછું પાણી છે, કુલ જળસંગ્રહ 50%થી નીચે છે.
95% ઘરોમાં નળજોડાણથી પાણી, 6 જિલ્લાનાં 46 ગામમાં ટેન્કરના 97 ફેરા!
ઉત્તર ગુજરાતનાં જળાશયોમાં પાણીનો ઉપયોગમાં લઈ શકાય એવો જથ્થો ફકત 9%, નર્મદામાં 53% પાણી
હર ઘર જલ મિશન હેઠળ સરકારે છેલ્લાં 3 વર્ષમાં 7 હજાર કરોડથી વધારે ખર્ચ કર્યો છે .
રાજ્યમાં બુધવારે હીટવેવનું જોર યથાવત્ હતું. 44.3 ડીગ્રી સાથે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. જયારે અમદાવાદમાં પણ 44.2 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. બુધવારે દેશનાં 33 શહેરોમાં 44 ડીગ્રીથી વધુ ગરમાી નોંધાઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હજુ 3 દિવસ આકરી ગરમી રહેશે.
