રોડ શો માં લોકોને લાવવા ગુરુવારે સવારે 6 વાગ્યાથી જ એએમટીએસની બસો મુકાશે. બીજા વાહનો દ્વારા પણ નાગરિકોનું પરિવહન કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવા રોડ શોમાં ભાજપના કોર્પોરેટરને ભીડ એકઠી કરવાની જવાબદારી સોંપવામાં આવતી હોય છે. જયારે આ વખતે ભાજપના તમામ કાર્યકરોને આ રોડ શો માં હાજરી આપવા માટે માત્ર જાણ કરવામાં આવી છે.
કોર્પોરેટરને ભીડ ભેગી કરવા માટે કોઇ જવાબદારી આપવામાં આવી નથી. જેને બદલે મ્યુનિ.ના અધિકારીઓને ભીડ એકઠી કરવા માટેની જવાબદારી સોંપવામાં આવી છે.
