કશ્મીરી કવિ ડો. ઉપેન્દ્રનાથ રૈણા
લિખિત હિન્દી કવિતાઓના સાધનાબેન ભટ્ટે કરેલા ગુજરાતી સર્જનાત્મક ભાવાનુવાદના પુસ્તક
‘કશ્મીર નિર્ગમન’નું ગુજરાત વિદ્યાપીઠના ગાંધી સંશોધન હોલમાં લોકાર્પણ થયું હતું. આ કાવ્યસંગ્રહમાં કાશ્મીરમાંથી પ્રતાડિત થઈને નિર્વાસિત થયેલા પંડિતોએ અનુભવેલી વેદનાઓની અભિવ્યક્તિ છે. પુસ્તકનું લોકાર્પણ ડો. દક્ષા જોશી, શ્રી વાસુદેવ પાઠક, ડો. માલતીબેન દુબે અને ઉપેન્દ્રનાથ રૈણા તથા સરસ્વતીચંદ્ર આચાર્ય દ્વારા થયું હતું. આ પ્રસંગે મનિષા શર્મા, નીલમ કુલશ્રેષ્ઠ, નિશા ચંદ્રા, મનોરમા આચાર્ય, દેવેન્દ્રભાઈ આચાર્ય, મલ્લિકા મુખર્જી, નીતા વ્યાસ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન મેધાવીની જાનીએ કર્યું હતું.