જૈન ધર્મની વૈજ્ઞાનિકતા પ્રયોગો વડે
સમજાવવા પાલડીમાં રવિવારીય શિબિર : શરીરના સાત ઉર્જા ચક્રો વિષે ચર્ચા
શંખેશ્વર સાયન્સ સિટીના માર્ગદર્શક પૂજ્ય પંન્યાસશ્રી લબ્ધિચંદ્રસાગરજી મહારાજા આ વર્ષનું ચાતુર્માસ કરવા અમદાવાદના શ્રી ઓપેરા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘમાં (પાલડી, અમદાવાદ) પધાર્યા હોવાથી તેમની નિશ્રામાં દર રવિવારે જૈન વિજ્ઞાન શિબિરોનું આયોજન કરવામાં આવેલ છે.
રવિવાર તા. 24 જુલાઈના સવારે 9-30 થી 12 દરમ્યાન આયોજિત શિબિરમાં ધર્મની વૈજ્ઞાનિકતા વિષે વાત કરવામાં આવી જેમા મુખ્યત્વે માનવ શરીરમાં રહેલા સાત ઉર્જા
ચક્રો વિષે
માહિતી આપવામાં આવી હતી જેમા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આગામી શિબિર આવતા રવિવારે તા. 31 જુલાઈના દિવસે યોજાશે જેનો લાભ લેવા સૌને આમંત્રણ છે.
(આ બાબતમાં વધુ માહિતી માટે શ્રી સંજય વોરાનો
મોબાઇલ નંબર ૯૩૨૭૬૮૭૪૦૬ ઉપર
સંપર્ક સાધી શકો છો.)