ઓઢવ ઇન્દિરાનગર આવાસ યોજનામાં અપાયેલી 52 દુકાનમાંથી 29માં વચ્ચોવચ પિલર બનાવી દેવા તથા સ્ટ્રક્ચરલ ખામીઓ બાબતે મ્યુનિ. અધિકારીએ તપાસ રિપોર્ટ માગ્યો છે.
આવાસ યોજનામાં બનાવેલા મકાનોનું લોકાર્પણ હજુ થોડા સમય પહેલા જ મુખ્યમંત્રીના હસ્તે થયું જેમાં મકાનોમાં બનાવવામાં આવેલી દુકાનોની વચ્ચે જ પિલર આવતો હોવાથી દુકાનમાં સામાન લઇ જવો પણ મુશ્કેલ બની જાય તેવી પરિસ્થિતિ થઈ છે.તથા તેમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વપરાયું હોવાના આક્ષેપો વચ્ચે મ્યુનિ. ડે. કમિશનરે આ મામલે રિપોર્ટ માગ્યો.પાર્કિંગની જગ્યામાં જ જ્યાં દુકાનો બાંધી દેવામાં આવી છે ત્યારે આ પ્લાનને મંજૂરી કઇ રીતે મળી તે બાબતે અનેક તર્ક વિતર્ક વચ્ચે તપાસ ચાલી રહી છે.
