સોમવારે દિલ્હીમાં ભારે વરસાદ તથા વાવાઝોડાને કારણે અમદાવાદ ડાઈવર્ટ કરાયેલી એર કેનેડાની ફલાઇટના 283 પેસેન્જરોને ટેક્નિકલ કારણોસર 48 કલાકથી અમદાવાદ એરપોર્ટ પર ફસાતાં હજુ તેઅો દિલ્હી પહોંચી શક્યા નથી.
મંગળવારની રાત્રે પેસેન્જરોને એરલાઇન્સે એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. એર કેનેડાની ફ્લાઈટને ટેકનિકલ કારણોસર ટેકઓફની મંજૂરી મળી શકી ન હતી. દોઢ કલાક સુધી રાહ જોવડાવ્યા બાદ પેસેન્જરોને પાછા હોટેલ મોકલી દીધા હતા.